BBC News, ગુજરાતી - સમાચાર
નવાજૂની
ગુજરાત વિધાનસભાએ સૌરાષ્ટ્ર ઘરખેડ વટહુકમમાં સુધારો કરતા કોની ખેતીની જમીન ખાલસા થઈ શકે છે?
આ વિધેયક એટલે કે ખરડા દ્વારા સરકારે સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ,1949ની કલમ 75 અને 75Aમાં સુધારો કરવાનો પ્રયાસ કર્યો છે. હવે આ સુધારા ખરડો મંજૂરી માટે ગુજરાતના રાજ્યપાલને મોકલી આપવામાં આવશે અને જો તેને મંજૂરી મળી જશે તો તે કાયદાનું સ્વરૂપ ધારણ કરશે. તેનાથી કોની તકલીફો વધી શકે?
ભારત-પાકિસ્તાન સંઘર્ષવિરામ પર ફરી શું બોલ્યા ટ્રમ્પ? – ન્યૂઝ અપડેટ
ગુજરાત સહિત દેશ અને દુનિયાના મહત્ત્વપૂર્ણ સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બીબીસી ગુજરાતીના આ પેજ સાથે.
'ઍપ્સ્ટીનની પીડિતાઓને ન્યાય મળે, તે માટે મેં મારી નોકરી છોડી દીધી'
ઍપ્સ્ટીન કેસની તાજેતરમાં જાહેર કરવામાં આવેલી ફાઇલ્સને પગલે નવેસરથી તપાસ શરૂ થઈ છે, ત્યારે મોટા ન્યૂઝરૂમ દસ્તાવેજોના વિશાળ જથ્થાને ફંફોસી રહ્યા છે એટલું જ નહીં. આ પ્રયાસોમાં જોડાનારાં સ્વતંત્ર પત્રકારોમાં એલી લિયોનાર્ડ પણ સામેલ છે, જેઓ અમેરિકન ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા દસ્તાવેજોની તપાસ કરવા માટે અન્ય લોકો સાથે મળીને કામ કરી રહ્યાં છે.
કિંગ ચાર્લ્સના ભાઈ ઍન્ડ્રયુ માઉન્ટબેટન-વિંડસરની સાર્વજનિક પદના દુરુપયોગની શંકામાં ધરપકડ, કિંગ ચાર્લ્સે શું કહ્યું?
બ્રિટનના પૂર્વ પ્રિન્સ ઍન્ડ્રયુ માઉન્ટબેટન-વિંડસરની ધરપકડ કરાઈ છે. બ્રિટનના કિંગ ચાર્લ્સના ભાઈ ઍન્ડ્ર્યુ માઉન્ટબેટન-વિંડસરની સાર્વજનિક પદનો દુરુપયોગ કરવાની આશંકામાં ધરપકડ કરવામાં આવી છે.
પાકિસ્તાન : ભારતનું રાષ્ટ્રગીત ગાનારા ચાર વિદ્યાર્થીઓની યુનિવર્સિટીમાંથી હકાલપટ્ટી, સ્ડુડન્ટે શું કહ્યું?
પાકિસ્તાનના ખૈબરપખ્તૂનખ્વા જિલ્લાના લોઅર દીરના મુરાદ ખાનનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયો હતો. તેમની સાથે ત્રણ અન્ય વિદ્યાર્થી પણ હતા. આ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. એ વીડિયોમાં એક વિદ્યાર્થી ભારતનું રાષ્ટ્રગીત ગાઈ રહ્યો હતો, જ્યારે અન્ય કેટલાક વિદ્યાર્થીઓ તેનો સાથ આપી રહ્યા હતા.
ટી20 વર્લ્ડકપ : 0...0...0..., અભિષેક શર્મા કઈ ભૂલ વારંવાર કરી રહ્યા છે, શા માટે યુવરાજસિંહ સાથે તેમની સરખામણી થઈ રહી છે?
ટી-20 વર્લ્ડકપમાં સતત ચાર વિજય મેળવીને ભારતે ગ્રૂપ સ્ટેજની મૅચો પૂરી કરી લીધી છે. ચારેય મૅચોમાં વિજય સાથે ભારત પૉઇન્ટ્સ ટેબલમાં ટોચ ઉપર છે. છતાં એક બાબત ભારતીય ટીમ તથા પ્રશંસકોને પજવી રહી છે. આ બાબત એ છે વિશ્વના ટોચના ટી20 બૅટ્સમૅન અભિષેક શર્માનું ફૉર્મ.
શિવાજી સુરતમાંથી કેટલો ખજાનો લૂંટી ગયા અને અંગ્રેજોને તેમણે હાથ પણ કેમ નહોતો લગાડ્યો?
છત્રપતિ શિવાજી મહારાજે સુરતને બે વખત લૂંટ્યું હતું. બંને હુમલામાં શિવાજીના લશ્કરે લાખોની લૂંટ કરી હતી. પરંતુ તમને ખબર છે કે આ બંને હુમલા વખતે તેઓ સુરતમાં અંગ્રેજોને લૂંટી શક્યા નહોતા? તે વખતે સુરતમાં અંગ્રેજો અને વલંદા (ડચ)ઓની કોઠી હતી. આ કોઠીમાં લાખોનો માલ પડેલો હતો. પરંતુ એવું શું થયું કે મરાઠાઓ અંગ્રેજોને જરા પણ નુકસાન ન કરી શક્યા? આ સમજવા માટે આપણે આખા ઇતિહાસને સમજીએ.
આખું જીવન કેમ એક સરખું ભોજન ન કરવું જોઈએ, આહાર કેવી રીતે બદલતા રહેવો જોઈએ?
કેટલાક ખાદ્ય પદાર્થોના મામલામાં, પોષણ સંબંધિત લાભનો આધાર વ્યક્તિ જીવનના કયા તબક્કે છે, તેના પર રહેતો હોય છે. જેમકે, શિશુઓ તથા નાનાં બાળકોને ડેરી તથા ફુલ ક્રીમ દૂધમાં મોજૂદ ચરબીની ભરપૂર માત્રામાં આવશ્યકતા હોય છે, પણ 20 અને 30 વર્ષની વયના લોકો માટે તે એટલું આરોગ્યપ્રદ ગણાતું નથી. આમ જુદી-જુદી વયે કેવું ભોજન લેવું જોઈએ?
'હું ઊંઘમાં ચીસો પાડું છું, અનેક વખત રેપ કરાયો' - અપહરણ તથા બળાત્કારનો ભોગ બનેલી સીરિયાના અલવાઇટ સમુદાયની મહિલાઓની વ્યથા
ડિસેમ્બર 2024માં બશર અલ-અસદની સરમુખત્યારશાહીના પતન પછી ડઝનબંધ મહિલાઓનું અપહરણ કરવામાં આવ્યું છે.
શૉર્ટ વીડિયો
ભારત/વિદેશ
ટી 20 વર્લ્ડકપ : ભારત સુપર-8માં પહોંચ્યું છતાં એ પાંચ કારણો જે મુશ્કેલી ઊભી કરી શકે છે
ટુર્નામેન્ટની ગ્રૂપ સ્ટેજની તમામ ચાર મૅચ દરમિયાન ભારતીય બૅટ્સમૅનોની કેટલીક નબળાઈ છતી થઈ છે, જેનો હરીફ ટીમ પૂરેપૂરો લાભ લઈ શકે છે
પર્વતારોહકે પોતાની પ્રેમિકાને માઇનસ 20 ડિગ્રી તાપમાનમાં ઊંચા પહાડ પર કેમ 'છોડી દીધી'?
33 વર્ષીય મહિલાનું આજથી એક વર્ષ કરતાં વધુ સમય પહેલાં ઑસ્ટ્રિયાના સૌથી ઊંચા પર્વત પર બરફમાં થીજી જવાથી મૃત્યુ થઈ ગયું હતું. હવે તેમના બૉયફ્રેન્ડ પર આ મામલે અદાલતમાં ગત ગુરુવારે 12 ફેબ્રુઆરીના રોજ ખટલો ચાલ્યો છે, અને ઘોર બેદરકારીથી હત્યા કરવાનો આરોપ છે. જાણો આખો મામલો શું છે?
સેક્સની ઇચ્છા ઘટી જાય ત્યારે શું ટેસ્ટોસ્ટેરોન લઈને તેને વધારી શકાય, નિષ્ણાતો શું કહે છે?
ટેસ્ટોસ્ટેરોનના પ્રિસ્ક્રીપ્શનમાં ભારે ઊછાળો નોંધાયો છે. કેર ક્વોલિટી કમિશન દ્વારા સંપાદિત કરવામાં આવેલા એનએચએસ બિઝનેસ ઓથોરિટીના તાજેતરના ડેટા દર્શાવે છે કે, 2021 અને 2024ની વચ્ચેના ગાળામાં તેના પ્રિસ્ક્રીપ્શનમાં 135 ટકા સુધીનો વધારો થયો છે.
ગુજરાત બજેટ 2026 : ગાંધીનગર-કલોલને ટ્વિન સિટી તરીકે વિકસાવાશે, જાણો તમામ મહત્ત્વની જાહેરાત
બજેટનું કુલ કદ રૂ. ચાર લાખ આઠ હજાર 53 કરોડ રહેવા પામ્યું હતું, જે ગત વર્ષની સરખામણીમાં રૂ. 37 હજાર 803 કરોડ જેટલું વધારે છે. નાણાકીય વર્ષ માટે રૂ. 25 હજાર 587 કરોડની મહેસૂલી પુરાંત રહેશે.
રમજાનમાં ખજૂર ખાઈને કેમ રોજા ખોલવા જોઈએ?
આ રમઝાન માસમાં દુનિયાભરના સેંકડો મુસ્લિમો સૂર્યાસ્ત થતાંની સાથે જ ખજૂર ખાઈને રોજા ખોલશે.
અકબર અને બીરબલની વાર્તાઓ શું સાચી છે, બીરબલનું ખરું નામ શું હતું અને તેઓ અકબરના વિશ્વાસુ કેવી રીતે બન્યા?
મુઘલ બાદશાહ અકબરના દરબારના નવરત્નો પૈકી એક બીરબલ હતા જેઓ ભારતીય ઇતિહાસમાં અનોખું સ્થાન ધરાવે છે. તેમના વિશે ઘણી કથાઓ સાંભળવા મળે છે, પરંતુ વાસ્તવમાં તેમનું જીવન કેવું હતું.
10 મહિનાની બાળકીએ પાંચ લોકોના જીવ કેવી રીતે બચાવી લીધા, શું છે સમગ્ર મામલો?
10 મહિનાની એક બાળકીના અંગદાનથી પાંચ બાળકોના જીવ બચશે. માનવતાનું આ ઉદ્દાત દૃષ્ટાંત તે બાળકીના પિતાને કૉલેજના દિવસો દરમિયાનના એક વ્યાખ્યાનની યાદ આવતાં લેવાયેલા નિર્ણયથી પ્રેરિત હતું.
'મને મળ્યું અને વેચી માર્યું', એ ગામ જ્યાં લોકો સોનું શોધવા કોદાળી, પાવડો લઈને દોડ્યા
સ્પ્રિંગ્સ નામનું આ સ્થળ એ પહેલાં ખનન વિસ્તાર હતો અને આ અત્યંત ગરીબ વિસ્તાર છે. ત્યાંના એક રહેવાસીએ દાવો કર્યો હતો કે ઢોર બાંધવા માટે રાખવામાં આવેલી જગ્યામાં સોનાના કણો મળી આવ્યા છે.
ભારતમાં કિંગ કોબ્રા ટ્રેનોમાં 'મુસાફરી' કરી રહ્યા છે, ગુજરાતના વૈજ્ઞાનિકના સંશોધનમાં શું બહાર આવ્યું?
સુરતના વૈજ્ઞાનિક અને સંશોધક હર્પેટૉલૉજિસ્ટ દિકાંશ પરમારે અનોખું સંશોધન કર્યું છે. તેમણે કરેલા અભ્યાસમાં બહાર આવ્યું છે કે ભારતમાં કિંગ કોબ્રા એટલે કે નાગરાજ કદાચ ટ્રેનોમાં મુસાફરી કરી રહ્યા છે. આખરે જંગલોમાં રહેનારા કિંગ કોબ્રા રેલવેના પાટા સુધી કે ટ્રેન સુધી કેવી રીતે પહોંચી રહ્યા છે?
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ

